Raj Goswami Profile picture
journalist and writer
Feb 18 5 tweets 2 min read
મોર્નિંગ મ્યુસિંગ્સ:
ગઈકાલે કહ્યું હતું કે આજે narcissist પર વાત કરીશું. નાર્સિંસિસ્ટ એટલે આત્મમુગ્ધ- જે ખુદના પ્રેમમાં હોય તે. આત્મપ્રેમ તો વધતે-ઓછે અંશે આપણા સૌમાં હોય છે, પણ તે જ્યારે બિનતંદુરસ્ત બની જાય, ત્યારે તે એક મનોરોગ (Narcissistic Personality Disorder- NPD) ગણાય છે.(૨) Image વધુ પડતા લાડકોડ અથવા ઉપેક્ષા અને એબ્યુઝ સાથે મોટાં થયેલાં બાળકો નાર્સિંસિસ્ટ બની જાય છે. તેઓ બહુ અસુરક્ષિત હોય છે અને તેમની સેલ્ફ-ઇમેજ અતિસંવેદનશીલ (fragile) હોય છે. તેઓ સતત એવું ફીલ કરતા હોય છે કે તેઓ નકમા છે, અધૂરા છે, અપૂર્ણ છે. એટલે તેઓ તેમના "હું"ને મોટો રાખવા માટે (૩)
Jan 18, 2024 4 tweets 1 min read
મોર્નિંગ મ્યુસિંગ્સ:
૫૦ વર્ષની ઉંમર, ૨૩ વર્ષનાં લગ્ન અને ૨૧ વર્ષનાં બે સંતાનો પછી, એક્ટ્રેસ અને હવે લેખક ટ્વિંકલ ખન્નાએ, યુનિવર્સિટી ઓફ લંડનમાંથી ફિક્શન રાઈટિંગમાં માસ્ટર્સ કર્યું છે. જે સ્ત્રીઓ લગ્ન પછી તેમનાં સપનાં ભૂલી જાય છે તેમના માટે આમાંથી પ્રેરણા લેવા જેવી છે. (નીચે) Image ટ્વિંકલ, રાજેશ ખન્ના જેવા ધુઆંધાર સુપરસ્ટાર અને સેન્શેનલ ડિમ્પલ કાપડિયાની પુત્રી અને વર્તમાન સમયના એક સફળ સ્ટાર અક્ષય ખન્નાની પત્ની છે તે હકીકત જ તેને કિટ્ટી પાર્ટીઓમાં વ્યસ્ત કરી દેવા માટે પૂરતી છે, પરંતુ તેણે એવી  "ઔસત" જિંદગી જીવવાથી દૂર રહીને, (નીચે)
Jan 7, 2024 4 tweets 1 min read
મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશ્યલ)
કોઈ કામની ફળદ્રુપતા અથવા સર્જનાત્મકતાનો સીધો સંબંધ આપણે તેમાં કેટલી તીવ્રતાથી એકાગ્ર થઈ શકીએ છીએ અને કેટલો સમય આપીએ છીએ તેના પર છે. સૌની પાસે ૨૪ કલાક જ છે. ના ઓછા ના વધારે. પરંતુ એકાગ્રતાની તીવ્રતામાં એવી કોઈ મર્યાદા નથી. (નીચે) Image એક વ્યક્તિ ધારે તો તેની પાસે અસીમ એકાગ્રતા હોય અને બીજી વ્યક્તિ જો મહેનત ના કરે તો તે કામમાં વિખરાયેલી હોય. એક વ્યક્તિ કામમાં ૫ કલાક આપે અને બીજી વ્યક્તિ એ જ કામ ૧ કલાકમાં સારી રીતે નિપટાવી શકે તેમાં ફરક તીવ્રતાનો છે. તીવ્ર ફોકસ વાળી વ્યક્તિ, ઓછી તીવ્રતા વાળી વ્યક્તિ કરતાં (નીચે)
Jun 4, 2020 4 tweets 1 min read
Morning Musings...
દુનિયામાં એકપણ વિચાર મૌલિક નથી, એકપણ વિચાર નવો, બુનિયાદી, શુદ્ધ કે પ્રાકૃતિક નથી. એ અશક્ય છે. આપણા જેવા સાધારણ લોકો હોય કે કલાકાર-વૈજ્ઞાનિક જેવા અસાધારણ લોકો હોય, આપણે હંમેશાં કોઈકના વિચારેલા અને કોઈક રીતે વ્યકત થયેલા વિચારોને 'આપણી રીતે' વિચારીએ છીએ, (નીચે) (ઉપરથી) અને તેને 'નવા' વિચાર તરીકે પેશ કરીએ છીએ. આપણું મગજ કેલિડોસ્કોપની જેમ, બહારથી આવતા વિચારોનાં નિરંતર કોમ્બિનેશન બનાવતું રહે છે. મગજ મેન્યુફેક્ચરર નથી, કન્ટેઇનર છે. તે ટેલિવિઝનના એન્ટેનાની જેમ કોમન વેવલેન્થ પરથી વિચારોને ઝીલે છે, અને તેની ફિલ્મ બનાવે છે. આપણે એ (નીચે)