યુનાઈટેડ નેશન્સએ તેની ૨૦૦૮ ની જનરલ અસેમ્બલી માં ૮ જૂન ને " વિશ્વ મહાસાગર દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દેશો એ ૧૯૯૨ માં યુએન ની રીઓ દી જનેરો ખાતે થયેલ પર્યાવરણ લક્ષી પરિષદ માં પ્રથમ વખત જાહેર થયા બાદ થી જ મનાવવાનું શરૂ કરી દીધું હતું.

૧/n
દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.

૨/n
મહાસાગરો પૃથ્વી ની સપાટી ના બે તૃતીયાંશ કરતાં વધુ ભાગ ને આવરે છે અને કુલ પાણી ના ૯૭% પાણી નો સમાવેશ કરે છે. માછીમારો, જહાંજ બનાવનાર વગેરે જેવા અનેક ધંધા સાથે સંકળાયેલ ૩ અબજ થી વધુ લોકો ને રોજગારી પૂરી પાડી ગરીબી નિવારણ માં પણ મહત્વ નો ભાગ ભજવે છે.

૩/n
યુએન ના પર્યાવરણ વિભાગ અનુસાર, દર મિનિટે ૧૦ લાખ પીણાં ની પ્લાસ્ટિક બોટલ ખરીદાય છે, જ્યારે દર વર્ષે ૫ ટ્રિલિયન જેટલી સિંગલ વપરાશ ની કોથળી વપરાય છે જે આખરે મહાસાગર માં કચરા સ્વરૂપે ઠલવાઈ છે. આજે ૩૦૦ મિલિયન થી વધારે પ્લાસ્ટિક કચરો બને છે, ૧૯૫૦ માં તે માત્ર ૦.૫ મિલિયન જ હતો.

૪/n
આપણામાંથી મોટા ભાગના પોતપોતાની જિંદગી આનંદથી જીવે છે એ બાબત થી અજાણ કે, આપણી રોજિંદી ક્રિયાઓ સમુદ્ર ના સ્વાસ્થ્ય ને કેવી અસર પહોંચાડે છે અથવા સમુદ્ર નું સ્વાસ્થ્ય ની આપણા રોજિંદા જીવન પર કેવી અસર પડે છે.

૫/n
છેલ્લા કેટલાક સમય થી સમુદ્રો ને આપણે પ્લાસ્ટિક અને અન્ય અવિઘટિત કચરા માટેની મોટી કચરાપેટી બનાવી દીધી છે. દરિયાકાંઠા, સમુદ્ર સપાટી અને સમુદ્રતટ પર જમા થતા કચરા માં ૮૦% પ્લાસ્ટિક અને અવિભાજ્ય કચરો હોય છે.

૬/n
વિશ્વ માં માનવ પેદાશ થી ઉત્સર્જિત થતો ત્રીજા ભાગનો કાર્બન ડાયોક્સાઈડ સમુદ્ર માં ઠલવાઈ છે. જેનાથી દરિયા નું પાણી એસિડિક થતું જાઈ છે જે દરિયાઈ જીવો ને નુકસાન કરે છે ખાસ કરીને કાચબા, કરચલા જેવા કવચ વાળા પ્રાણીઓ ને.

૭/n
૧૯૫૦માં માત્ર ૦.૫ મિલિયન વાર્ષિક કચરાની પેદાશની સામે આજે ૩૦૦ મિલિયન કચરાની સરેરાશ વાર્ષિક પેદાશ ચિંતાનો મુદ્દો છે, એનાથી વધારે ચિંતા નું કારણ એ કે પ્લાસ્ટિક ને વિલીન થતાં ૪૦૦ વર્ષ નો સમય લાગે છે મતલબ કે આજ સુધી આકાર પામેલ મોટા ભાગ નું પ્લાસ્ટિક હજી જેમનું તેમ જ છે.

૮/n
સમુદ્રો માં આવેલ ખનીજ તેલ ઉત્પાદક પ્રદેશો માંથી તેલ પ્રસરણ ની ઘણી ઘટનાઓ આપડે ભૂતકાળ માં સાંભળી છે. જે સમુદ્ર જીવો માટે હત્યારી સાબિત થતી હોય છે. છેલ્લે ૨૦૧૦ માં મેક્સિકો ના અખાત માં આવેલ "ડીપ વોટર હોરીઝોન" માં થયેલ ધડાકા ને કારણે આશરે ૧ લાખ ચો. કિમી વિસ્તાર માં તેલ પ્રસરેલ.

૯/n
તેના લીધે, ૧૦ લાખ દરિયાઈ પક્ષીઓ, ૫૦૦૦ જેટલા સસ્તન પ્રાણીઓ, અને હજારો કાચબાઓ મૃત્યુ પામેલ. (મુખ્ય ઘટનાઓ :૧૯૭૯ માં, મેક્સિકો ના કેમ્પેચે અખાત માં એજ વર્ષે કેરેબિયન સાગર માં, ૧૯૮૩ માં નોરૂઝ તેલ ક્ષેત્ર માં, ૧૯૯૪ માં રશિયા ની કોલવા નદી માં થયેલ પ્રસરણ)

૧૦/n
રાસાયણિક પ્રદૂષણ પણ એક વધતું જતું ચિંતાનો મુદ્દો છે. સમુદ્રોના પેટાળ સુધી પહોંચતા માનવસર્જિત પ્રદૂષકોમાં જંતુનાશકો,ખાતરો,ડીટેરજેન્ટ,ખનીજ તેલ,ઔદ્યોગિક રસાયણોનો સમાવેશ થાય છે,જે સમુદ્ર જીવો માટે ખતરો છે.ખાતરોથી ફેલાતી શેવાડો સમુદ્રજીવો માટે ઉપયોગી પાણીના ઓકસીજનને શોષી લે છે.

૧૧/n
આપણી સામે રહેલા પ્રદૂષણ ના સંકટ ને નિવારવા આપણે મોટા પાયાની અને નાની એમ બંને પ્રતિબદ્ધતાઓ વિકસાવવી પડશે. સિંગલ વપરાશ પ્લાસ્ટિક ઘટાડવાની દરેક ક્રિયા ઉદ્યોગો ને એક સંદેશ મોકલે છે કે, આ બદલવાનો સમય છે હવે.

૧૨/n
સુપર માર્કેટ માં ખરીદી કરતી વખતે ઘરેથી કપડાં ની બેગ લઈ જાવ અને જથ્થાબંધ વિભાગ માંથી અનાજ બદામ, અન્ય વસ્તુઓ ખરીદો જેથી નાના પ્લાસ્ટિક પેકેટ માં લપેટેલ વસ્તુ નો વપરાશ ઘટાડી શકાય.

૧૩/n
દરિયાઈ ભોજન આરોગતા લોકો એ પણ શું ખાવું શું ના ખાવું ની જવાબદારી ઉઠાવી દરિયાઈ સંરક્ષણ માં પોતાનું યોગદાન આપવું. તમે કઈ માછલી ખાઈ રહ્યા છો તે ક્યાંથી આવી રહી છે તે જાણવું મહત્વ નું છે.

૧૪/n
આપણે સામનો કરી રહેલા વૈશ્વિક ટકાઉ વિકાસ ના પડકારો સામે પગલાં લેવા અને સુદ્રઢ ભવિષ્ય માટે "વિશ્વ મહાસાગર દિવસ" આપણા સહુને એક થવાની તક આપે છે. તો આ તક નો ઉપયોગ કરી સારા ભવિષ્ય નિર્માણ નું આયોજન કરીએ.

૧૫/n
થ્રેડ ગમ્યો હોય તો જરૂર થી re-tweet કરી સપોર્ટ કરશો. સ્વીકારું છું કે ઉપર લખેલ થ્રેડ જરાક મોટો લખાઈ ગયો છે પણ સમસ્યા પણ એટલી જ વધારે છે.

#WorldOceansDay
#WorldOceansDay2020

@jayvasavada @DhimantPurohit @DeepalTrevedie @aditiraval @Ports_GMB @dineshdasa1 @dave_janak @vnehra

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Geroy - герой - जिरॉय

Geroy - герой - जिरॉय Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ardent_geroy

Mar 8, 2021
આજે #InternationalWomensDay પર ચાલો ગુજરાતની એક એવી વીરાંગનાની વાત કરીએ જેની ઇતિહાસના પાને ઝાંઝી નોંધ નથી લેવાય પણ તેમનું શૌર્ય અને બહાદુરી પુરુષથી સહેજ પણ ઉણુ‌ ઉતરે એવી નહતી. આપણે વાત કરી રહ્યાં છીએ "રાણી જીજીમાં" ની.
રાણી જીજીમા હાલાવાડ (આજનું ધ્રાઘધ્રા) ના ઝાલા વંશના રાજા ગજસિંહની પત્ની હતી. તે એક કુશળ વ્યૂહરચનાકાર અને વાટાઘાટકાર; જે તેના સમયના રાજકીય તત્વજ્ઞાનમાં સારી રીતે વાકેફ; અશ્વવિદ્યા નિપુણ સાથે કુશળ યોદ્ધા; અને શાહી દરબારની અંદર અને બાહ્ય સાથીઓ વચ્ચે એક પ્રભાવશાળી નેતા.
તે એક બહાદુર, નિર્ભીક રાજપૂતાની હતી જેણે તેના પતિ અને પુરુષ સગપણોને યુદ્ધ માટે શપથ લેવડાવી તેમનું લશ્કરી ફરજ શીખવ્યું; નિર્ભય માતા જે તેના પુત્રની તેની મિલકતનું રક્ષણ કરે છે અને સક્ષમ શારીરિક અને મજબૂત ઇચ્છાવાળી યોદ્ધા, જે તેની તલવાર લઈને ઘોડા પર ચડી મેદાને લડવા હંમેશાં તૈયાર.
Read 4 tweets
Dec 1, 2020
આપણાંમાંથી કદાચ ઘણાંને ખબર હશે જુનાગઢ પાસે ગિરનાર આગળ મૌર્યવંશના શાસક અશોકના પ્રસિદ્ધ ૧૪-શિલાલેખો આવેલા છે પણ આ ૧૪ શિલાલેખોના મતલબ ભાગ્યે જ કોઈકને ખબર હશે. અશોકે કલિંગના યુદ્ધ બાદ અહિંસા સ્વીકાર્યા બાદ આ શિલાલેખો રાજ્યમાં ખૂણે ખૂણે કોતરાવ્યા હતાં. @dineshdasa1 @GujaratHistory
અશોકના શિલાલેખમાંનો પહેલો લેખ પ્રાણી હત્યા અને ઉત્સવ સંમેલનો પર રોક લગાવવા પર છે. @thakkar_solar @PriteeKM
બીજો શિલાલેખમાં માણસો અને પ્રાણીઓની સેવા, તથા પાંડ્ય - સત્યપુરા- કેતલપુત્ર જેવાં દક્ષિણના રાજાઓ અને ગ્રીક રાજા અંતિયકનો ઉલ્લેખ કરે છે.
Read 19 tweets
Nov 30, 2020
"જેવું કામ તેવાં દામ", "દામ કરાવે કામ", "આમ કે આમ ગુટલીઓ કે ભી દામ" આ કહેવાતો વિષે તમને જરૂરથી ખ્યાલ હશે પણ ક્યારે વિચાર્યુ છે આ દામ - રૂપિયા/ધનની પાછળની કહાની?

તો ચાલો આજે દામ વિષે જાણીએ.

@dineshdasa1
@DeepalTrevedie @AmitHPanchal @GujaratHistory
ભારતમાં સિકંદર કરતાં પણ વધારે વિજયકૂચ કરનાર વિદેશી રાજા એટલે યવન(Greek) રાજા મિનનંદર/ મેનન્દ્ર જે પાછળથી બૌદ્ધ ધર્માનુરાગી થયા બાદ "રાજા મિલિન્દ" તરીકે વધારે પ્રસિદ્ધ થયો તેને પૂર્વમાં અયોધ્યા,પાટલીપુત્ર સુધી અને દક્ષિણમાં સૌરાષ્ટ્રને પાર દક્ષિણ ગુજરાત સુધી વિજયકૂચ કરેલ.
તેના શાસન કાળ દરમ્યાન તેણે તાંબાના ગોળ સિક્કા પ્રચલીત કર્યા હતાં. જેની આસપાસ Basileos Soteros Menandrou એવું ગ્રીક ભાષા માં લખાણ જોવા મળતું બીજી બાજુમાં ગ્રીક દેવી એથેના ની આકૃતિ દોરેલી હતી જેની ફરતે ખરોસ્થી લીપી માં महारजस त्रतरस मेनंद्रस એવું પ્રાકૃત ભાષા માં લખાણ હતું.
Read 5 tweets
Nov 29, 2020
આજે દરેક દેશનાં, રાજ્યનાં, સંસ્થાનાં કે વ્યક્તિ વિશેષનાં ધ્વજ જોવા મળતા હોઈ છે. પરંતું મહાભારત સમયના અર્જુનનાં ધ્વજમાં હનુમાન/કપિની પ્રતિકૃતિ હતી એ સિવાય બાકીના પાંડવ બંધુઓનાં ઘ્વજ વિશે જવલ્લે જ માહીતી હશે તો ચાલો આજે દરેક પાંડવ ભાઈ ઓનાં ધ્વજ વિશે જાણીએ.
અર્જુન :

અર્જુન નાં ધ્વજ નું નામ કપિ ધ્વજ હતુ. ધ્વજમાં હનુમાન/કપિ ના મુખ અને લાંબી પૂંછની નિશાની એ સામે દુશ્મનોનાં ખેમામાં આતંક મચાવવા માટે સાંકેતિક હતી.
ભીમ :

ભીમનાં ધ્વજનું નામ સિંહધ્વજા હતુ. તેમાં ખાસ આંખો હિરાઝવેરાત થી સુશોભિત હતી. એવું પણ માનવામાં આવે છે કે હરપ્પા સંસ્કૃતિ માં ઉલ્લેખ છે એ lapis lazuli (જમણો ફોટો) નામનાં ખાસ કિંમતી પથ્થર થી આંખો ને શણગારવામાં આવી હતી.
Read 7 tweets
Nov 26, 2020
ડભોઈનો કિલ્લો :

ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામ થી આ નગર નું નામ પડી આવ્યુ છે. @GujaratHistory @dineshdasa1
ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇ ના કિલ્લા ને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશ દ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો.
હીરા ગેટ સાથે એવી લોકવાયકા પણ છે કે,આ ગેટના નિર્માણ બાદ રાજા આ સ્થાપત્યથી ઉપરી કોઈ બીજું નિર્માણ ના થાય એ હેતુંથી કારીગરોને જીવતાં ચણી નાખવાનો હુકમ કર્યો હતો પરંતું પાછળથી કારીગરોની પત્નીઓની બુદ્ધિની કરામતે દરેકના જીવ બચાવ્યા હતાં આ ગેટના શિલ્પકાર હરિધર પરથી હિરા ગેટ નામ પડ્યું.
Read 6 tweets
Nov 25, 2020
ઘણાં લોકોના મોઢે અને સમાચારપત્રો માં કોરોના નો રાફડો ફરી ફાટ્યો, સેકંડ વેવ વગેરે શબ્દ પ્રયોગો જૉવા મળ્યા છે અને સાચી રીતે તે લોકોની બેદરકારી નું પરિણામ પણ છે. પણ જોડે જોડે એક બીજું પાસું પણ વિચારવા જેવું છે અને તે છે "સરકારની કામગીરી" @DeepalTrevedie
સપ્ટેમ્બરના મધ્ય બાદ જે રીતે ટેસ્ટની કામગીરી ઘટાડી શું ખરેખર કોરોના ને નાથવામાં આપણે સફળ થયા હતાં? કે તેના લીધે દેખીતો કોરોના જ કથિત કાબૂમાં આવ્યો હતો? અને જો એવું ના હોય તો જે રીતે સરેરાશ ટેસ્ટ લેવાતાં હતાં એ જોતા હાલની પરિસ્થિતિ જેટલું જ સરેરાશ કોરોના રહેતો હોત.
તો આમ અચાનક ટેસ્ટ ઘટાડવાનું કારણ શું? કારણ કે ટેસ્ટ જો ઘટયા ના હોત તો કોરોના એજ ગતિએ પેપર ના આંકડાઓ પર દેખાતો જ. તો ત્યારે જ બીજા રાજયો અને કેન્દ્ર ની ગાઈડ લાઈન ને વાદે ચાલી નાહક નું લોકોને ભરમાવી, અને પોતાના રાજકીય તાયફા સંતોષી કોરોના ને આવકારવાની વિધિ નો મતલબ શું?
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(