Geroy Profile picture
1 Dec, 19 tweets, 6 min read
આપણાંમાંથી કદાચ ઘણાંને ખબર હશે જુનાગઢ પાસે ગિરનાર આગળ મૌર્યવંશના શાસક અશોકના પ્રસિદ્ધ ૧૪-શિલાલેખો આવેલા છે પણ આ ૧૪ શિલાલેખોના મતલબ ભાગ્યે જ કોઈકને ખબર હશે. અશોકે કલિંગના યુદ્ધ બાદ અહિંસા સ્વીકાર્યા બાદ આ શિલાલેખો રાજ્યમાં ખૂણે ખૂણે કોતરાવ્યા હતાં. @dineshdasa1 @GujaratHistory
અશોકના શિલાલેખમાંનો પહેલો લેખ પ્રાણી હત્યા અને ઉત્સવ સંમેલનો પર રોક લગાવવા પર છે. @thakkar_solar @PriteeKM
બીજો શિલાલેખમાં માણસો અને પ્રાણીઓની સેવા, તથા પાંડ્ય - સત્યપુરા- કેતલપુત્ર જેવાં દક્ષિણના રાજાઓ અને ગ્રીક રાજા અંતિયકનો ઉલ્લેખ કરે છે.
ત્રીજા શિલાલેખમાં બ્રાહ્મણો તરફ સદ્ભાવ, અને શાસન હેઠળ ના દરેક રાજાઓએ દર પાંચ વર્ષ પર નીતિ શિક્ષણ "ધમ્મ" માટે નીકળવું,
ચોથા શિલાલેખમાં, યુદ્ધ (ભેરિઘોષ)ની ઉપર નીતિશાસ્ત્ર (ધમ્મઘોષ)ની વાત છે.
પાંચમાં શિલાલેખ પર ગુલામો અને દાસ ના કલ્યાણ ની વાત છે.
છઠ્ઠા શિલાલેખમાં લોકોની વ્યથા, સ્થિતિ જાણવાની રાજાની ઈચ્છા અને લોક કલ્યાણની વાત છે.
સાતમા શિલાલેખમાં બધા ધર્મો માટે સહનશીલતા ની વાત લખી છે.
આઠમા શિલાલેખ માં, અશોકની પ્રથમ વખત બોધિગયાની મુલાકાત વિશે વાત છે.
નવમાં શિલાલેખમાં ફરીવાર લોકસમારંભો વખતે થતી વિધિઓની નિંદા કરવામાં આવી છે.
દસમાં શિલાલેખમાં, ખ્યાતિ અને કીર્તિ માટેની વ્યકિત ની ઈચ્છાને નકારી ધમ્મ (નીતિશાસ્ત્ર) પર ભાર મુકવા કહેવામાં આવ્યું છે.
બારમાં શિલાલેખમાં ધર્મ વિશે કહેવામાં આવ્યું છે
બારમાં શિલાલેખમાં ફરીવાર દરેક ધર્મ અને સાથો સાથ પંથ તરફ સમભાવ રાખવાની વાત છે.
તેરમાં શિલાલેખમાં કલિંગ ના યુદ્ધની વાત લખી છે, સાથોસાથ ધર્મવિજય ની પણ વાત લખી છે.
ચૌદમાં શિલાલેખમાં આ શિલાલેખ શાસન માં અલગ અલગ જગ્યાએ લખાવવાની વાત લખી છે.
અશોક ના આ શિલાલેખ ઉપરાંત આજ ખડક પર, એક લેખ ચંદ્રગુપ્તના પ્રતિક સુબા પુષ્યાગુપ્ત દ્વાર બંધાવેલ સુદર્શન તળાવના સમારકામ સંબંધી મહાક્ષત્રપ રુદ્રદમનના સમયનો તથા બીજો લેખ ગુપ્તરાજા સ્કંદગુપ્તના સમયનો છે.
સંદર્ભ :
સુધારો : પ્રતિક નહીં પ્રાંતિક વાંચવું

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Geroy

Geroy Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ardent_geroy

30 Nov
"જેવું કામ તેવાં દામ", "દામ કરાવે કામ", "આમ કે આમ ગુટલીઓ કે ભી દામ" આ કહેવાતો વિષે તમને જરૂરથી ખ્યાલ હશે પણ ક્યારે વિચાર્યુ છે આ દામ - રૂપિયા/ધનની પાછળની કહાની?

તો ચાલો આજે દામ વિષે જાણીએ.

@dineshdasa1
@DeepalTrevedie @AmitHPanchal @GujaratHistory
ભારતમાં સિકંદર કરતાં પણ વધારે વિજયકૂચ કરનાર વિદેશી રાજા એટલે યવન(Greek) રાજા મિનનંદર/ મેનન્દ્ર જે પાછળથી બૌદ્ધ ધર્માનુરાગી થયા બાદ "રાજા મિલિન્દ" તરીકે વધારે પ્રસિદ્ધ થયો તેને પૂર્વમાં અયોધ્યા,પાટલીપુત્ર સુધી અને દક્ષિણમાં સૌરાષ્ટ્રને પાર દક્ષિણ ગુજરાત સુધી વિજયકૂચ કરેલ.
તેના શાસન કાળ દરમ્યાન તેણે તાંબાના ગોળ સિક્કા પ્રચલીત કર્યા હતાં. જેની આસપાસ Basileos Soteros Menandrou એવું ગ્રીક ભાષા માં લખાણ જોવા મળતું બીજી બાજુમાં ગ્રીક દેવી એથેના ની આકૃતિ દોરેલી હતી જેની ફરતે ખરોસ્થી લીપી માં महारजस त्रतरस मेनंद्रस એવું પ્રાકૃત ભાષા માં લખાણ હતું.
Read 5 tweets
29 Nov
આજે દરેક દેશનાં, રાજ્યનાં, સંસ્થાનાં કે વ્યક્તિ વિશેષનાં ધ્વજ જોવા મળતા હોઈ છે. પરંતું મહાભારત સમયના અર્જુનનાં ધ્વજમાં હનુમાન/કપિની પ્રતિકૃતિ હતી એ સિવાય બાકીના પાંડવ બંધુઓનાં ઘ્વજ વિશે જવલ્લે જ માહીતી હશે તો ચાલો આજે દરેક પાંડવ ભાઈ ઓનાં ધ્વજ વિશે જાણીએ.
અર્જુન :

અર્જુન નાં ધ્વજ નું નામ કપિ ધ્વજ હતુ. ધ્વજમાં હનુમાન/કપિ ના મુખ અને લાંબી પૂંછની નિશાની એ સામે દુશ્મનોનાં ખેમામાં આતંક મચાવવા માટે સાંકેતિક હતી.
ભીમ :

ભીમનાં ધ્વજનું નામ સિંહધ્વજા હતુ. તેમાં ખાસ આંખો હિરાઝવેરાત થી સુશોભિત હતી. એવું પણ માનવામાં આવે છે કે હરપ્પા સંસ્કૃતિ માં ઉલ્લેખ છે એ lapis lazuli (જમણો ફોટો) નામનાં ખાસ કિંમતી પથ્થર થી આંખો ને શણગારવામાં આવી હતી.
Read 7 tweets
26 Nov
ડભોઈનો કિલ્લો :

ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામ થી આ નગર નું નામ પડી આવ્યુ છે. @GujaratHistory @dineshdasa1
ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇ ના કિલ્લા ને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશ દ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો.
હીરા ગેટ સાથે એવી લોકવાયકા પણ છે કે,આ ગેટના નિર્માણ બાદ રાજા આ સ્થાપત્યથી ઉપરી કોઈ બીજું નિર્માણ ના થાય એ હેતુંથી કારીગરોને જીવતાં ચણી નાખવાનો હુકમ કર્યો હતો પરંતું પાછળથી કારીગરોની પત્નીઓની બુદ્ધિની કરામતે દરેકના જીવ બચાવ્યા હતાં આ ગેટના શિલ્પકાર હરિધર પરથી હિરા ગેટ નામ પડ્યું.
Read 6 tweets
25 Nov
ઘણાં લોકોના મોઢે અને સમાચારપત્રો માં કોરોના નો રાફડો ફરી ફાટ્યો, સેકંડ વેવ વગેરે શબ્દ પ્રયોગો જૉવા મળ્યા છે અને સાચી રીતે તે લોકોની બેદરકારી નું પરિણામ પણ છે. પણ જોડે જોડે એક બીજું પાસું પણ વિચારવા જેવું છે અને તે છે "સરકારની કામગીરી" @DeepalTrevedie
સપ્ટેમ્બરના મધ્ય બાદ જે રીતે ટેસ્ટની કામગીરી ઘટાડી શું ખરેખર કોરોના ને નાથવામાં આપણે સફળ થયા હતાં? કે તેના લીધે દેખીતો કોરોના જ કથિત કાબૂમાં આવ્યો હતો? અને જો એવું ના હોય તો જે રીતે સરેરાશ ટેસ્ટ લેવાતાં હતાં એ જોતા હાલની પરિસ્થિતિ જેટલું જ સરેરાશ કોરોના રહેતો હોત.
તો આમ અચાનક ટેસ્ટ ઘટાડવાનું કારણ શું? કારણ કે ટેસ્ટ જો ઘટયા ના હોત તો કોરોના એજ ગતિએ પેપર ના આંકડાઓ પર દેખાતો જ. તો ત્યારે જ બીજા રાજયો અને કેન્દ્ર ની ગાઈડ લાઈન ને વાદે ચાલી નાહક નું લોકોને ભરમાવી, અને પોતાના રાજકીય તાયફા સંતોષી કોરોના ને આવકારવાની વિધિ નો મતલબ શું?
Read 4 tweets
24 Nov
સીદી સૈયદની જાળી થી દરેક ગુજરાતી પરિચીત હશે. ૧૬મી સદીમાં ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુજ્જફર ત્રીજા દ્વારા બાંધવામાં આવેલ આ કલાત્મક સ્થાપત્યની જાળી એ આગ્રાના તાજમહેલ ના interior decoration ને પણ જાંખી પાડે એવી છે. Image
અનેક ધર્મ અને સંપ્રદાયોમાં મહત્વ ધરાવતા "Tree of life"ને આ જાળીદાર બારીમાં ખુબ જ નિપુણતાપૂર્વક કોઈ જ અત્યાધુનિક ઓજાર કે મશીનરી વિના પ્રતિબિંબ કરાવવામાં આવી છે. Image
આ સ્થાપત્ય ને વાણિજ્યક રીતે વિશ્વ વિખ્યાત ખ્યાતિ અપાવી હોઈ તો તે, "લોકવૂડ દે ફોરેસ્ટ/lockwood de forest" નામના અમેરિકન ઇન્ટરિયર ડિઝાઇનર. સૌપ્રથમ તેમને આ જાળીદાર બારીની બર્માં ટિકવુડથી નકલ બનાવી હતી જે ઇંગ્લેન્ડના કેન્સિંગ્ટન સંગ્રહાલયમાં રાખેલ છે. ImageImage
Read 5 tweets
14 Oct
આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? @dineshdasa1
આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
મુહમ્મદ બિન તુગલક એ રાતોરાત પોતાની રાજધાની દિલ્હી થી ખસેડી ને દૌલતબાદ (મહારાષ્ટ્ર) કરી હતી. તમે વિચારી શકો છો કે રાતોરાત પોતાનું ઘરબાર છોડી બીજે સ્થળાંતર કરવામાં કેવી હાલાકી આવી હશે વાત અહી નથી અટકતી બાદશાહનો મિજાજ બદલાતા પાછું દિલ્હી રાજધાની કરી હતી.
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!