Geroy Profile picture
25 Nov, 4 tweets, 2 min read
ઘણાં લોકોના મોઢે અને સમાચારપત્રો માં કોરોના નો રાફડો ફરી ફાટ્યો, સેકંડ વેવ વગેરે શબ્દ પ્રયોગો જૉવા મળ્યા છે અને સાચી રીતે તે લોકોની બેદરકારી નું પરિણામ પણ છે. પણ જોડે જોડે એક બીજું પાસું પણ વિચારવા જેવું છે અને તે છે "સરકારની કામગીરી" @DeepalTrevedie
સપ્ટેમ્બરના મધ્ય બાદ જે રીતે ટેસ્ટની કામગીરી ઘટાડી શું ખરેખર કોરોના ને નાથવામાં આપણે સફળ થયા હતાં? કે તેના લીધે દેખીતો કોરોના જ કથિત કાબૂમાં આવ્યો હતો? અને જો એવું ના હોય તો જે રીતે સરેરાશ ટેસ્ટ લેવાતાં હતાં એ જોતા હાલની પરિસ્થિતિ જેટલું જ સરેરાશ કોરોના રહેતો હોત.
તો આમ અચાનક ટેસ્ટ ઘટાડવાનું કારણ શું? કારણ કે ટેસ્ટ જો ઘટયા ના હોત તો કોરોના એજ ગતિએ પેપર ના આંકડાઓ પર દેખાતો જ. તો ત્યારે જ બીજા રાજયો અને કેન્દ્ર ની ગાઈડ લાઈન ને વાદે ચાલી નાહક નું લોકોને ભરમાવી, અને પોતાના રાજકીય તાયફા સંતોષી કોરોના ને આવકારવાની વિધિ નો મતલબ શું?
જેટલા ઓછા ટેસ્ટ એટલા ઓછાં કેસ આટલું સહેલું ગણિત તો નર્સરીના ભૂલકાં હોવ આજકલ ઉકેલી દે. અને જે રીતે ટેસ્ટ ઓછાં થઈ રહ્યાં હતાં એ જોતા તો માર્ચ સુધીમાં તો વગર વેક્સીને આપડે કોરોના ફ્રી થઈ જતાં. Trace-Test-Treat આ 3T નું પ્રચાર સૂત્ર પાળવામાં કચાસ કેમ રહી? @jayvasavada

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Geroy

Geroy Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ardent_geroy

26 Nov
ડભોઈનો કિલ્લો :

ચાલુક્ય/સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એ ૧૧-૧૨ સદીમાં ડભોઇ જે એ વખતે દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુરથી ઓળખાતી, ની ફરતે કિલ્લેબંધી કરી હતી. દુભાવે નામના બાંધકામ કરનાર મુખ્ય કારીગરના નામ થી આ નગર નું નામ પડી આવ્યુ છે. @GujaratHistory @dineshdasa1 ImageImage
ફાર્બસ અને દલપતરામ રચિત રસમાલા મુજબ, ડભોઇ ના કિલ્લા ને ચાર ગેટ/પ્રવેશ દ્વાર છે: બરોડા ગેટ, ચાણોદ/નાંદોદ ગેટ, ચાંપાનેર ગેટ, અને મુખ્ય આકર્ષણ એવો હીરા ભાગોળનો હીરા/daimond ગેટ એમાંથી દરેક પ્રવેશ દ્વાર એ નામનાં શહેર તરફ ખૂલતો અને હીરા ગેટ એ કાલિકા માતા ના મંદીર તરફ ખૂલતો. Image
હીરા ગેટ સાથે એવી લોકવાયકા પણ છે કે,આ ગેટના નિર્માણ બાદ રાજા આ સ્થાપત્યથી ઉપરી કોઈ બીજું નિર્માણ ના થાય એ હેતુંથી કારીગરોને જીવતાં ચણી નાખવાનો હુકમ કર્યો હતો પરંતું પાછળથી કારીગરોની પત્નીઓની બુદ્ધિની કરામતે દરેકના જીવ બચાવ્યા હતાં આ ગેટના શિલ્પકાર હરિધર પરથી હિરા ગેટ નામ પડ્યું.
Read 6 tweets
24 Nov
સીદી સૈયદની જાળી થી દરેક ગુજરાતી પરિચીત હશે. ૧૬મી સદીમાં ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુજ્જફર ત્રીજા દ્વારા બાંધવામાં આવેલ આ કલાત્મક સ્થાપત્યની જાળી એ આગ્રાના તાજમહેલ ના interior decoration ને પણ જાંખી પાડે એવી છે. Image
અનેક ધર્મ અને સંપ્રદાયોમાં મહત્વ ધરાવતા "Tree of life"ને આ જાળીદાર બારીમાં ખુબ જ નિપુણતાપૂર્વક કોઈ જ અત્યાધુનિક ઓજાર કે મશીનરી વિના પ્રતિબિંબ કરાવવામાં આવી છે. Image
આ સ્થાપત્ય ને વાણિજ્યક રીતે વિશ્વ વિખ્યાત ખ્યાતિ અપાવી હોઈ તો તે, "લોકવૂડ દે ફોરેસ્ટ/lockwood de forest" નામના અમેરિકન ઇન્ટરિયર ડિઝાઇનર. સૌપ્રથમ તેમને આ જાળીદાર બારીની બર્માં ટિકવુડથી નકલ બનાવી હતી જે ઇંગ્લેન્ડના કેન્સિંગ્ટન સંગ્રહાલયમાં રાખેલ છે. ImageImage
Read 5 tweets
14 Oct
આપણે ઘણી વાર સમાચારપત્રો અને લોકબોલીમાં પણ "તુઘલકી" નિર્ણય લેવા/ફરમાન કરવા જેવા શબ્દપ્રયોગ જોતા આવ્યા છે જેનો મતલબ બેહુદા નિર્ણય લેવા કે લોકો જોડે વિમર્શ કર્યા સિવાય આપખુદી રીતે આદેશ કરવા પરંતુ આ શબ્દ પાછળના ઇતિહાસ વિશે ખબર છે?વિચાર્યું છે આ શબ્દ પાછળની સ્ટોરી શું? @dineshdasa1
આ શબ્દની કથા તુઘલક વંશના રાજા "મુહમ્મદ બિન તુગલક" સાથે જોડાયેલી છે જે તેના અતરંગી સ્વભાવ અને આપખુદ શાસન માટે ઇતિહાસના પન્નાઓ પર છપાયેલા છે. તેના અઢી દાયકાના શાસનમાં તેની બદલાતી અને ચિત્ર વિચિત્ર નીતિઓ થી કંટાળી તેની પ્રજા રીતસર નવા શાસક માટે પૂજા કરવા લાગી હતી. #askgeroy
મુહમ્મદ બિન તુગલક એ રાતોરાત પોતાની રાજધાની દિલ્હી થી ખસેડી ને દૌલતબાદ (મહારાષ્ટ્ર) કરી હતી. તમે વિચારી શકો છો કે રાતોરાત પોતાનું ઘરબાર છોડી બીજે સ્થળાંતર કરવામાં કેવી હાલાકી આવી હશે વાત અહી નથી અટકતી બાદશાહનો મિજાજ બદલાતા પાછું દિલ્હી રાજધાની કરી હતી.
Read 7 tweets
12 Oct
વિચારો કે, કાલે ઉઠીને તમને કહેવામાં આવે કે નાનપણથી ભૂગોળમાં જે નકશાને આપણે ભણતા અને જોતાં આવ્યા છે એ ખરેખર ખોટો છે. વિમાસણમાં પડ્યા ને? પણ ખરી સત્યતા એજ છે કે વિશ્વનો કોઈ નકશો સાચો નથી દરેકમાં કોઈને કોઈ ખોડ ખપણ રહેલી જ છે. @dineshdasa1
@MehHarshil @saliltripathi

(1/n)
તમે અને મે પોતે આજ સુધી વધારે જે નકશાથી પરિચિત રહ્યા છે એ નકશાને "મર્કેટર નકશા" તરીકે ઓળખવામાં આવે છે જેને ગેરાડસ મર્કેટર નામના નકશાકાર દ્વારા ૧૬મી સદીમાં બનવવામાં આવ્યો હતો અને આજ દિન સુધી મોટાભાગે navigation માં વાપરવામાં આવે છે. ગૂગલ મેપમાં પણ આજ નકશો વપરાય છે.

(2/n)
આ મર્કેટર નકશાને બનાવવા માટે પૃથ્વીના ગોળાની ફરતે નળાકાર આકાર પર પૃથ્વીના કેન્દ્ર પરથી લઇ નળાકાર આકરની અંદરની સપાટી પર તેનું પ્રક્ષેપણ ( projection) લઈ તેને સપાટ આકર આપવામાં આવ્યો છે. (ચિંતા ના કરો ખબર ના પડી હોઈ એ એના પછીની ટ્વીટ જુએ)

(3/n)
Read 7 tweets
21 Aug
અંગ્રેજો ખોટા નહોતા કે અંદરો અંદર લડાવીને જ ભારત પર રાજ કરી શકીશું.ત્યારે દેશી રજવાડા હતા આજના સમયે વિવિધ રાજયો અને પક્ષો. વિશ્વના સંપન્ન દેશો ભ્રષ્ટાચાર બાજુ પર મૂકી પોતાના દેશના લોકોનું વિચારવા આગોતરા પગલાં લઈ રહ્યું છે અને ભારતમાં એકબીજાથી બાખડવામાંથી ઉંચા આવતા નથી.
કામની પ્રાથમિકતા આપવાની અણસમજ અને દેખાડો કરવાને નામે ભોપાળાં કરવાના તાગમાં અને પોતાના જરૂરિયાતની પાયાની જરૂરિયાતના બદલે કામ વગરની પંચાતમાં ધ્યાન કેન્દ્રિત કરીને દેશ આ મહામારી સામે બાકીના દેશ કરતા વામણો સાબિત થઈ રહ્યો છે. પુર આવે પાડા ના બંધાય. સમય સૂચકતા વાપરી જાણો તો જ થશે.
સાસ-વહુના ઝઘડાની માફક ચાલતા ટીવી ડીબેટ કરતા કૈક હેતુસભર ચર્ચા ને સ્થાન મળે અને બીજા દેશની જેમ ઊભા કાંઠલે સરકાર ને પ્રશ્નો કરી શકે તથા સરકાર ને ક્યારેક દેશપાયોગી કામ કરવા ફરજ પડાવે એવું નીડર મીડિયા લોકશાહી ના ચોથા સ્તંભ ની ફરજ અદા કરે તો કંઇક બદલાવ શક્ય છે. બાકી રામભરોસે...
Read 4 tweets
8 Jun
યુનાઈટેડ નેશન્સએ તેની ૨૦૦૮ ની જનરલ અસેમ્બલી માં ૮ જૂન ને " વિશ્વ મહાસાગર દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પરંતુ ઘણા દેશો એ ૧૯૯૨ માં યુએન ની રીઓ દી જનેરો ખાતે થયેલ પર્યાવરણ લક્ષી પરિષદ માં પ્રથમ વખત જાહેર થયા બાદ થી જ મનાવવાનું શરૂ કરી દીધું હતું.

૧/n
દર વર્ષે ૮ જૂન,આપણને સમુદ્રના સંશાધનોનો ટકાઉ ઉપયોગ કરવાની આપણી વ્યક્તિગત અને સામૂહિક ફરજ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાની તક આપે છે. ઓકસીજન થી લઇ સુવ્યવસ્થિત આબોહવા,માનવ વારસાના મુખ્ય તત્વો સુધી માનવજાત અને તેના અસ્તિત્વ ની ચાવી,એવા સમુદ્ર નું સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ ખૂબ જરૂરી છે.

૨/n
મહાસાગરો પૃથ્વી ની સપાટી ના બે તૃતીયાંશ કરતાં વધુ ભાગ ને આવરે છે અને કુલ પાણી ના ૯૭% પાણી નો સમાવેશ કરે છે. માછીમારો, જહાંજ બનાવનાર વગેરે જેવા અનેક ધંધા સાથે સંકળાયેલ ૩ અબજ થી વધુ લોકો ને રોજગારી પૂરી પાડી ગરીબી નિવારણ માં પણ મહત્વ નો ભાગ ભજવે છે.

૩/n
Read 16 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!